ટુ-વ્હિલર ચાલકો હવે Toll Taxથી બચી શકશે નહી:15 જુલાઈ 2025થી કેન્દ્રની નવા નિયમો અમલ કરવાની તૈયારી…

Will Two Wheelers Pay Toll Tax From 15th July કેન્દ્ર સરકાર હાઇવે મુસાફરીને લગતા નીતિનિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારોના ભાગરૂપે 15 જુલાઈ, 2025થી ટુ-વ્હિલર ચાલકોને પણ હાઈવે પર Toll Tax નો લાભ આપવાનું બંધ કરવામાં આવશે. જો કે, આ મુદ્દે સરકારે સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ આ પગલું ટુ-વ્હિલરને પણ FASTag દ્વારા ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમના દાયરામાં લાવવાની નીતિનો એક ભાગ છે. હાલ દેશમાં તમામ હાઇવે પર ટુ-વ્હિલરને Toll Tax મુક્તિ છે. તેનું કારણ એ હતું કે રસ્તાના ઘસારા પર આ વાહનોની અસર નહીવત છે. આ ઉપરાંત આ વાહનો પાસેથી Toll Tax ઉઘરાવવાનો ખર્ચ પણ વધારે થાય એમ હતો. પરિણામે, ટુ-વ્હિલરને FASTag ખરીદવાની પણ કોઈ જરૂરિયાત ન હતી. 

જો કે, હવે આ નિયમોમાં ધરમૂળથી ફેરફાર થઈ રહ્યા છે. ચાલો આ વાત મુદ્દાસર સમજીએ. 

15 જુલાઈ, 2025થી શું બદલાશે?

  • 15 જુલાઈ, 2025થી, ટુ-વ્હિલરને હાઇવે એન્ટ્રી પોઇન્ટ્સ પર Toll Tax દાયરામાં લવાશે. 
  • જોકે સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેની તૈયારી ઘણાં સમયથી શરૂ થઈ ગઈ છે. 
  • હવે ટુ-વ્હિલર માલિકોએ  FASTag ખરીદવાની, બેંક ખાતા કે ડિજિટલ વૉલેટ સાથે લિંક તેમજ Toll Tax ચૂકવણી માટે વાહન પર FASTag લગાવવું પડશે.  

આ ફેરફાર કરવાનું કારણ શું છે?

ટુ-વ્હિલરને Toll Tax સિસ્ટમમાં સામેલ કરવાના અનેક કારણ છે. જેમ કે, 

એકસમાન નિયમ: ભારતમાં રસ્તા પર ટુ-વ્હિલરની સંખ્યા નોંધપાત્ર છે. રસ્તા સહિતની માળખાગત સુવિધાની જાળવણીમાં તેમનું યોગદાન પણ જરૂરી છે. જેથી ફોર વ્હિલર્સની જેમ ટુ વ્હિલર્સ માટે પણ સમાન નિયમ હોવો જોઈએ.

ડિજિટલ એકીકરણ: ટોલ કલેક્શનને સુવ્યવસ્થિત કરવા, ટોલ બૂથ પર ટ્રાફિક ઓછો કરવા તેમજ તમામ શ્રેણીના વાહનોમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવું જરૂરી છે. 

આવક: રસ્તા સહિતની માળખાગત સુવિધા વધતા સરકાર સુનિશ્ચિત કરવા માંગે છે કે, રસ્તાનો ઉપયોગ કરનારા તમામ લોકો તેની જાળવણી માટે યોગદાન આપે.

નોંધનીય છે કે, આ રીતે સરકાર Toll Tax ચૂકવણીનું મોડેલ સુધારી રહી છે. જેમ કે, FASTag એન્યુઅલ Toll Tax પાસ અને એન્યુઅલ ટોલ પાસ (ATP), જે ચોક્કસ વાર્ષિક ફી સાથે નેશનલ હાઇવે પર અમર્યાદિત મુસાફરીની છૂટ આપશે. હાલ ખાનગી વાહન માલિકો માટે રૂ. 3,000 નક્કી કરાયા છે. જો કે આ યોજનાનું લક્ષ્ય શરૂઆતમાં ફોર વ્હિલર પર રહેશે. બાદમાં  ટુ-વ્હિલર માટે પણ આવું કોઈ મોડલ લવાશે. 

રોજિંદા મુસાફરો પર શું અસર થશે? 

રોજિંદા અને લાંબા અંતરના મુસાફરોએ વધારાનો ખર્ચ કરવો પડશે. 

FASTag જેવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ફરજિયાત અપનાવવા પડશે. 

ડિજિટલ સિસ્ટમ્સ અમલી થશે, તો ટોલ પ્લાઝા પર ભીડ ઘટી જશે.

ટોલ પ્લાઝા પર ટ્રાફિક નહીં હોય, તો ફ્યૂલ ખર્ચ પણ ઘટશે. 

આ નિર્ણયને અનેક લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ માટે જરૂરી માને છે, તો કેટલાકે રોજિંદા ટુ-વ્હિલર મુસાફરોને થતા વધારાના ખર્ચ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, આ મુદ્દે સરકાર ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શખે છે.

આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *